Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #119 Translated in Gujarati

وَتَمَّتْ كَلِمَتُ رَبِّكَ صِدْقًا وَعَدْلًا ۚ لَا مُبَدِّلَ لِكَلِمَاتِهِ ۚ وَهُوَ السَّمِيعُ الْعَلِيمُ
તમારા પાલનહારની વાણી સત્ય અને ન્યાયની રીતે પૂરતી છે, તેની વાણીને કોઇ બદલી શકતું નથી અને તે ખૂબ સારી રીતે સાંભળનાર, જાણનાર છે
وَإِنْ تُطِعْ أَكْثَرَ مَنْ فِي الْأَرْضِ يُضِلُّوكَ عَنْ سَبِيلِ اللَّهِ ۚ إِنْ يَتَّبِعُونَ إِلَّا الظَّنَّ وَإِنْ هُمْ إِلَّا يَخْرُصُونَ
અને દુનિયામાં વધારે પડતા લોકો એવા છે કે જો તમે તેઓનું કહેવું માનવા લાગો, તો તેઓ તમને અલ્લાહના માર્ગથી હટાવી દેશે, તે ફકત કાલ્પનિક વાતોનું અનુસરણ કરે છે, અને અનુમાન કરે છે
إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ مَنْ يَضِلُّ عَنْ سَبِيلِهِ ۖ وَهُوَ أَعْلَمُ بِالْمُهْتَدِينَ
નિ:શંક તમારો પાલનહાર તેઓને ખૂબ સારી રીતે જાણે છે, જે તેના માર્ગથી હટી જાય છે. અને તે તેઓને પણ ખૂબ સારી રીતે જાણે છે જે લોકો તેના માર્ગ પર ચાલે છે
فَكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ إِنْ كُنْتُمْ بِآيَاتِهِ مُؤْمِنِينَ
તો જે જાનવર પર અલ્લાહનું નામ લેવામાં આવે તેને ખાઓ, જો તમે તેના આદેશો પર ઈમાન ધરાવતા હોવ
وَمَا لَكُمْ أَلَّا تَأْكُلُوا مِمَّا ذُكِرَ اسْمُ اللَّهِ عَلَيْهِ وَقَدْ فَصَّلَ لَكُمْ مَا حَرَّمَ عَلَيْكُمْ إِلَّا مَا اضْطُرِرْتُمْ إِلَيْهِ ۗ وَإِنَّ كَثِيرًا لَيُضِلُّونَ بِأَهْوَائِهِمْ بِغَيْرِ عِلْمٍ ۗ إِنَّ رَبَّكَ هُوَ أَعْلَمُ بِالْمُعْتَدِينَ
અને શું કારણ છે કે તમે તે જાનવરને ન ખાઓ, જેના પર અલ્લાહનું નામ લેવામાં આવ્યું હોય, જો કે અલ્લાહ તઆલાએ તે દરેક જાનવરોનું વર્ણન કરી દીધું છે, જેને તમારા પર હરામ કર્યું છે, પરંતુ અનિવાર્ય સંજોગોમાં હલાલ છે (એટલે કે ખાઇ શકો છો) અને આ ચોક્કસ વાત છે કે ઘણા લોકો પોતાના વિચારો પર કોઇ પુરાવા વગર લોકોને પથભ્રષ્ટ કરે છે, તેમાં કોઇ શંકા નથી કે અલ્લાહ તઆલા હદ વટાવી દેનારાઓને ખૂબ સારી રીતે જાણે છે

Choose other languages: