Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #35 Translated in Gujarati

قَدْ خَسِرَ الَّذِينَ كَذَّبُوا بِلِقَاءِ اللَّهِ ۖ حَتَّىٰ إِذَا جَاءَتْهُمُ السَّاعَةُ بَغْتَةً قَالُوا يَا حَسْرَتَنَا عَلَىٰ مَا فَرَّطْنَا فِيهَا وَهُمْ يَحْمِلُونَ أَوْزَارَهُمْ عَلَىٰ ظُهُورِهِمْ ۚ أَلَا سَاءَ مَا يَزِرُونَ
નિ:શંક નુકસાનમાં રહ્યા તે લોકો, જેઓએ અલ્લાહ સાથે મુલાકાત કરવાને જૂઠ સમજ્યું, અહીં સુધી કે તે નક્કી કરેલ સમય તેઓ પર આવી પહોંચશે, કહેશે કે અફસોસ છે અમારી સુસ્તી પર, જે આ વિષે થઇ, અને સ્થિતિ એવી થશે કે તેઓ પોતાની પીઠ પર ભાર ઉઠાવેલ હશે, સારી રીતે સાંભળી લો કે, ખરાબ હશે તે વસ્તુ જેનો ભાર તેઓ ઉઠાવશે
وَمَا الْحَيَاةُ الدُّنْيَا إِلَّا لَعِبٌ وَلَهْوٌ ۖ وَلَلدَّارُ الْآخِرَةُ خَيْرٌ لِلَّذِينَ يَتَّقُونَ ۗ أَفَلَا تَعْقِلُونَ
અને દુનિયાનું જીવન તો કંઈ પણ નથી, ખેલ-તમાશા સિવાય. અને આખેરતનું ઘર ડરવાવાળાઓ માટે ઉત્તમ છે, શું તમે વિચારતા નથી
قَدْ نَعْلَمُ إِنَّهُ لَيَحْزُنُكَ الَّذِي يَقُولُونَ ۖ فَإِنَّهُمْ لَا يُكَذِّبُونَكَ وَلَٰكِنَّ الظَّالِمِينَ بِآيَاتِ اللَّهِ يَجْحَدُونَ
અમે સારી રીતે જાણીએ છીએ કે તમને તે લોકોની વાતો નિરાશ કરે છે, આ લોકો તમને જુઠ્ઠા નથી કહેતા, પરંતુ આ અત્યાચારી લોકો તો અલ્લાહની આયતોને ઇન્કાર કરે છે
وَلَقَدْ كُذِّبَتْ رُسُلٌ مِنْ قَبْلِكَ فَصَبَرُوا عَلَىٰ مَا كُذِّبُوا وَأُوذُوا حَتَّىٰ أَتَاهُمْ نَصْرُنَا ۚ وَلَا مُبَدِّلَ لِكَلِمَاتِ اللَّهِ ۚ وَلَقَدْ جَاءَكَ مِنْ نَبَإِ الْمُرْسَلِينَ
અને ઘણા પયગંબરો જે તમારા કરતા પહેલા આવી ચૂક્યા છે તેઓને પણ જુઠલાવવામાં આવ્યા, પરંતુ તેઓએ તેના પર ધીરજ રાખી, તેઓને જુઠલાવવામાં આવ્યા અને તેઓને તકલીફો આપવામાં આવી, ત્યાં સુધી કે અમારી મદદ તેઓ માટે આવી ગઇ અને અલ્લાહ તઆલાની વાતોને કોઇ બદલી શકતું નથી અને તમારી પાસે કેટલાક પયગંબરોની કેટલીક વાતો પહોંચી ગઇ છે
وَإِنْ كَانَ كَبُرَ عَلَيْكَ إِعْرَاضُهُمْ فَإِنِ اسْتَطَعْتَ أَنْ تَبْتَغِيَ نَفَقًا فِي الْأَرْضِ أَوْ سُلَّمًا فِي السَّمَاءِ فَتَأْتِيَهُمْ بِآيَةٍ ۚ وَلَوْ شَاءَ اللَّهُ لَجَمَعَهُمْ عَلَى الْهُدَىٰ ۚ فَلَا تَكُونَنَّ مِنَ الْجَاهِلِينَ
અને જો તેઓની ઉપેક્ષા તમને તકલીફ પહોંચાડે છે. તો, જો તમને તાકાત હોય તો ધરતીમાં કોઇ સુરંગ અથવા આકાશમાં કોઇ સીડી શોધી લો, ફરી કોઇ ચમત્કાર લઇ આવી, તેને બતાવો, અને જો અલ્લાહ ઇચ્છતો, તો તે સૌને સત્યમાર્ગ પર ભેગા કરી દેતો, તો તમે અણસમજું લોકો માંથી ન થઇ જાવ

Choose other languages: