Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #61 Translated in Gujarati

قُلْ إِنِّي عَلَىٰ بَيِّنَةٍ مِنْ رَبِّي وَكَذَّبْتُمْ بِهِ ۚ مَا عِنْدِي مَا تَسْتَعْجِلُونَ بِهِ ۚ إِنِ الْحُكْمُ إِلَّا لِلَّهِ ۖ يَقُصُّ الْحَقَّ ۖ وَهُوَ خَيْرُ الْفَاصِلِينَ
તમે કહી દો કે મારી પાસે તો મારા પાલનહાર તરફથી એક પૂરાવો છે, પરંતુ તમે તેને જુઠલાવો છો, જે વસ્તુ વિશે તમે ઉતાવળ કરી રહ્યા છો, તે મારી પાસે નથી, અલ્લાહ સિવાય કોઇનો આદેશ નથી ચાલતો, અલ્લાહ તઆલા ખરેખર સત્ય વાતને જણાવી દે છે અને સૌથી સારો નિર્ણય કરનાર તે જ છે
قُلْ لَوْ أَنَّ عِنْدِي مَا تَسْتَعْجِلُونَ بِهِ لَقُضِيَ الْأَمْرُ بَيْنِي وَبَيْنَكُمْ ۗ وَاللَّهُ أَعْلَمُ بِالظَّالِمِينَ
તમે કહી દો કે જો મારી પાસે તે વસ્તુ હોત જેની તમે માંગણી કરી રહ્યા છો, તો મારી અને તમારી વચ્ચે નિર્ણય થઈ જાત અને અત્યાચારીઓને અલ્લાહ તઆલા ખૂબ સારી રીતે જાણે છે
وَعِنْدَهُ مَفَاتِحُ الْغَيْبِ لَا يَعْلَمُهَا إِلَّا هُوَ ۚ وَيَعْلَمُ مَا فِي الْبَرِّ وَالْبَحْرِ ۚ وَمَا تَسْقُطُ مِنْ وَرَقَةٍ إِلَّا يَعْلَمُهَا وَلَا حَبَّةٍ فِي ظُلُمَاتِ الْأَرْضِ وَلَا رَطْبٍ وَلَا يَابِسٍ إِلَّا فِي كِتَابٍ مُبِينٍ
અને અલ્લાહ તઆલા પાસે જ છે અદૃશ્યની ચાવીઓ (ખજાનો), અલ્લાહ સિવાય તેને કોઇ નથી જાણતું અને તે દરેક વસ્તુઓને જાણે છે, જે કંઈ ધરતીમાં છે અને જે કંઈ સમુદ્રમાં છે અને કોઇ પાંદડું એવું નથી પડતું જેને તે જાણતો ન હોય અને કોઇ દાણો ધરતીના અંધકારમાં અને ન કોઇ ભીની અને ન કોઇ સૂકી વસ્તુ છે, સાચે જ આ બધું જ ખુલ્લી કિતાબમાં લખેલ છે
وَهُوَ الَّذِي يَتَوَفَّاكُمْ بِاللَّيْلِ وَيَعْلَمُ مَا جَرَحْتُمْ بِالنَّهَارِ ثُمَّ يَبْعَثُكُمْ فِيهِ لِيُقْضَىٰ أَجَلٌ مُسَمًّى ۖ ثُمَّ إِلَيْهِ مَرْجِعُكُمْ ثُمَّ يُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُونَ
અને તે એવો છે કે રાતમાં તમારા પ્રાણ ખેંચી લે છે અને જે કંઈ પણ તમે દિવસમાં કરો છો તેને જાણે છે, પછી તમને ઉઠાડે છે, જેથી નક્કી કરેલ સમય પૂરો થઇ જાય, પછી તેની જ તરફ તમારે પાછા ફરવાનું છે, પછી તમને બતાવશે જે કંઈ તમે કરતા હતા
وَهُوَ الْقَاهِرُ فَوْقَ عِبَادِهِ ۖ وَيُرْسِلُ عَلَيْكُمْ حَفَظَةً حَتَّىٰ إِذَا جَاءَ أَحَدَكُمُ الْمَوْتُ تَوَفَّتْهُ رُسُلُنَا وَهُمْ لَا يُفَرِّطُونَ
અને તે જ પોતાના બંદાઓ પર વિજયી છે, અને તમારા માટે નિરીક્ષક અવતરિત કરે છે, ત્યાં સુધી કે જ્યારે તમારા માંથી કોઇને મૃત્યુ આવી પહોંચે છે, તેનો જીવ અમારા મોકલેલા ફરિશ્તા કાઢી લે છે અને તેઓ થોડીક પણ સુસ્તી નથી કરતા

Choose other languages: