Quran Apps in many lanuages:

Surah Al-Hajj Ayahs #44 Translated in Gujarati

الَّذِينَ أُخْرِجُوا مِنْ دِيَارِهِمْ بِغَيْرِ حَقٍّ إِلَّا أَنْ يَقُولُوا رَبُّنَا اللَّهُ ۗ وَلَوْلَا دَفْعُ اللَّهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَهُدِّمَتْ صَوَامِعُ وَبِيَعٌ وَصَلَوَاتٌ وَمَسَاجِدُ يُذْكَرُ فِيهَا اسْمُ اللَّهِ كَثِيرًا ۗ وَلَيَنْصُرَنَّ اللَّهُ مَنْ يَنْصُرُهُ ۗ إِنَّ اللَّهَ لَقَوِيٌّ عَزِيزٌ
આ તે લોકો છે, જેમને ખોટી રીતે પોતાના ઘરો માંથી કાઢવામાં આવ્યા, ફક્ત તેમની આ વાત પર કે અમારો પાલનહાર ફક્ત અલ્લાહ જ છે, જો અલ્લાહ તઆલા લોકોને અંદરોઅંદર એકબીજા દ્વારા ન હટાવતો તો, બંદગી કરવાની જગ્યા, મસ્જિદો અને ચર્ચો, અને યહૂદીઓની બંદગી કરવાની જગ્યા અને તે મસ્જિદો પણ નષ્ટ કરી દેવામાં આવતી, જ્યાં અલ્લાહ તઆલાનું નામ વધારે લેવાય છે, જે અલ્લાહની મદદ કરશે, અલ્લાહ ચોક્કસ તેની પણ મદદ કરશે, નિ:શંક અલ્લાહ તઆલા ખૂબ જ તાકાતવર, ખૂબ જ મૂલ્યવાન છે
الَّذِينَ إِنْ مَكَّنَّاهُمْ فِي الْأَرْضِ أَقَامُوا الصَّلَاةَ وَآتَوُا الزَّكَاةَ وَأَمَرُوا بِالْمَعْرُوفِ وَنَهَوْا عَنِ الْمُنْكَرِ ۗ وَلِلَّهِ عَاقِبَةُ الْأُمُورِ
આ તે લોકો છે કે જો અમે ધરતી પર તેમને (સરદાર બનાવી દઇએ તો), આ લોકો પાબંદી સાથે નમાઝ પઢશે અને ઝકાત પણ આપશે અને સારા કાર્યોનો આદેશ આપશે અને ખરાબ કાર્યોથી રોકશે, દરેક કાર્યોનું પરિણામ અલ્લાહની પાસે જ છે
وَإِنْ يُكَذِّبُوكَ فَقَدْ كَذَّبَتْ قَبْلَهُمْ قَوْمُ نُوحٍ وَعَادٌ وَثَمُودُ
જો આ લોકો તમને જુઠલાવે, (તો કોઈ આશ્વર્યની વાત નથી). આ પહેલા નૂહ અ.સ.ની કોમ, આદ અને ષમૂદ
وَقَوْمُ إِبْرَاهِيمَ وَقَوْمُ لُوطٍ
અને ઇબ્રાહીમ અ.સ.ની કોમ અને લૂત અ.સ.ની કોમ
وَأَصْحَابُ مَدْيَنَ ۖ وَكُذِّبَ مُوسَىٰ فَأَمْلَيْتُ لِلْكَافِرِينَ ثُمَّ أَخَذْتُهُمْ ۖ فَكَيْفَ كَانَ نَكِيرِ
અને મદયનવાળા પણ, પોતાના પયગંબરને જુઠલાવી ચૂક્યા છે, મૂસા અ.સ. ને પણ જુઠલાવવામાં આવ્યા હતાં, બસ ! મેં ઇન્કાર કરનારાઓને આવી રીતે જ મહેતલ આપી, પછી તેમની પકડ કરી, પછી મારી યાતના કેવી રહી

Choose other languages: