Quran Apps in many lanuages:

Surah Al-Mujadala Ayahs #22 Translated in Gujarati

اسْتَحْوَذَ عَلَيْهِمُ الشَّيْطَانُ فَأَنْسَاهُمْ ذِكْرَ اللَّهِ ۚ أُولَٰئِكَ حِزْبُ الشَّيْطَانِ ۚ أَلَا إِنَّ حِزْبَ الشَّيْطَانِ هُمُ الْخَاسِرُونَ
તેમના પર શેતાન છવાઇ ગયો છે અને તેમને અલ્લાહ ના સ્મરણથી વંચિત કરી દીધા છે, આ શેતાની જૂથ છે, કોઇ શંકા નથી કે શેતાની જૂથ જ નુકસાનમાં છે
إِنَّ الَّذِينَ يُحَادُّونَ اللَّهَ وَرَسُولَهُ أُولَٰئِكَ فِي الْأَذَلِّينَ
નિ:શંક અલ્લાહ તઆલા અને તેના પયગંબરનો જે લોકો વિરોધ કરે છે તે જ લોકો સૌથી વધારે અપમાનિત છે
كَتَبَ اللَّهُ لَأَغْلِبَنَّ أَنَا وَرُسُلِي ۚ إِنَّ اللَّهَ قَوِيٌّ عَزِيزٌ
અલ્લાહ તઆલા લખી ચુકયો છે કે નિ:શંક હું અને મારો પયગંબર જ નવિજયી રહીશું, નિ:શંક અલ્લાહ તઆલા જ શક્તિશાળી અને વિજયી છે
لَا تَجِدُ قَوْمًا يُؤْمِنُونَ بِاللَّهِ وَالْيَوْمِ الْآخِرِ يُوَادُّونَ مَنْ حَادَّ اللَّهَ وَرَسُولَهُ وَلَوْ كَانُوا آبَاءَهُمْ أَوْ أَبْنَاءَهُمْ أَوْ إِخْوَانَهُمْ أَوْ عَشِيرَتَهُمْ ۚ أُولَٰئِكَ كَتَبَ فِي قُلُوبِهِمُ الْإِيمَانَ وَأَيَّدَهُمْ بِرُوحٍ مِنْهُ ۖ وَيُدْخِلُهُمْ جَنَّاتٍ تَجْرِي مِنْ تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا ۚ رَضِيَ اللَّهُ عَنْهُمْ وَرَضُوا عَنْهُ ۚ أُولَٰئِكَ حِزْبُ اللَّهِ ۚ أَلَا إِنَّ حِزْبَ اللَّهِ هُمُ الْمُفْلِحُونَ
અલ્લાહ તઆલા અને કિયામતના દિવસ પર ઇમાન રાખનારાઓને અલ્લાહ અને તેના પયગંબરના વિરોધીઓ સાથે મોહબ્બત કરતા તમે નહીં જુઓ, ભલેને પછી તેમના પિતા, દિકરા અને ભાઇ અથવા તેમના કુંટુબીઓ પણ કેમ ન હોય, આ જ લોકો છે જેમના હૃદયોમાં અલ્લાહ તઆલાએ ઇમાન લખી દીધું છે. અને જેની પુષ્ટિ પોતાની રૂહ વડે કરી છે. અને જેમને તે જન્નતોમાં દાખલ કરશે જેમની જીચે નહેરો વહી રહી છે. જ્યાં તેઓ હંમેશા રહેશે, અલ્લાહ તેમનાથી ખુશ છે અને આ અલ્લાહથી ખુશ છે. આ અલ્લાહનું જૂથ છે. સાવધાન રહો ખરેખર અલ્લાહ ના જૂથવાળાઓ જ સફળ લોકો છે

Choose other languages: