Quran Apps in many lanuages:

Surah Al-Anaam Ayahs #132 Translated in Gujarati

وَيَوْمَ يَحْشُرُهُمْ جَمِيعًا يَا مَعْشَرَ الْجِنِّ قَدِ اسْتَكْثَرْتُمْ مِنَ الْإِنْسِ ۖ وَقَالَ أَوْلِيَاؤُهُمْ مِنَ الْإِنْسِ رَبَّنَا اسْتَمْتَعَ بَعْضُنَا بِبَعْضٍ وَبَلَغْنَا أَجَلَنَا الَّذِي أَجَّلْتَ لَنَا ۚ قَالَ النَّارُ مَثْوَاكُمْ خَالِدِينَ فِيهَا إِلَّا مَا شَاءَ اللَّهُ ۗ إِنَّ رَبَّكَ حَكِيمٌ عَلِيمٌ
અને જે દિવસે અલ્લાહ તઆલા દરેકને ભેગા કરશે, (કહેશે) હે જિન્નાતોનું જૂથ ! તમે માનવીઓ માંથી ઘણા લોકોને અપનાવી લીધા, જે માનવી તેઓની સાથે હતા, કહેશે કે હે અમારા પાલનહાર ! અમારા માંથી એકે બીજા દ્વારા ફાયદો ઉઠાવ્યો અને અમે પોતાના નક્કી કરેલ સમય સુધી આવી પહોંચ્યા જે તે અમારા માટે નક્કી કર્યો હતો, અલ્લાહ કહેશે કે તમારા સૌનું ઠેકાણું જહન્નમ છે જેમાં હંમેશા રહેશો, હાં અલ્લાહ ઇચ્છે તો અલગ વાત છે, નિ:શંક તમારો પાલનહાર ઘણો જ હિકમતવાળો, જ્ઞાનવાળો છે
وَكَذَٰلِكَ نُوَلِّي بَعْضَ الظَّالِمِينَ بَعْضًا بِمَا كَانُوا يَكْسِبُونَ
અને આવી જ રીતે અમે કેટલાક ઇન્કાર કરનારાઓને કેટલાક ઇન્કાર કરનારાઓની નજીક રાખીશું, તેઓના કાર્યોના કારણે
يَا مَعْشَرَ الْجِنِّ وَالْإِنْسِ أَلَمْ يَأْتِكُمْ رُسُلٌ مِنْكُمْ يَقُصُّونَ عَلَيْكُمْ آيَاتِي وَيُنْذِرُونَكُمْ لِقَاءَ يَوْمِكُمْ هَٰذَا ۚ قَالُوا شَهِدْنَا عَلَىٰ أَنْفُسِنَا ۖ وَغَرَّتْهُمُ الْحَيَاةُ الدُّنْيَا وَشَهِدُوا عَلَىٰ أَنْفُسِهِمْ أَنَّهُمْ كَانُوا كَافِرِينَ
હે જિન્નાતો અને માનવીઓના જૂથો ! શું તમારી પાસે તમારા માંથી જ પયગંબર નથી આવ્યા, જે તમારી સમક્ષ મારા આદેશોનું વર્ણન કરતા હતા, અને તમને આ દિવસની ખબર આપતા હતા ? તે સૌ કહેશે કે અમે માનીએ છીએ અને તેઓને દુનિયાના જીવને (આખેરતના જીવનને) ભૂલાવી દીધું અને આ લોકો પોતે ઇન્કાર કરનારા છે, તેવું માની લેશે
ذَٰلِكَ أَنْ لَمْ يَكُنْ رَبُّكَ مُهْلِكَ الْقُرَىٰ بِظُلْمٍ وَأَهْلُهَا غَافِلُونَ
આ એટલા માટે છે કે તમારો પાલનહાર કોઇ વસ્તીના લોકોને ઇન્કારના કારણે એવી સ્થિતિમાં નષ્ટ નથી કરતો કે, તે વસ્તીના રહેવાસીઓ અજાણ હોય
وَلِكُلٍّ دَرَجَاتٌ مِمَّا عَمِلُوا ۚ وَمَا رَبُّكَ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
અને દરેકના માટે તેઓના કાર્યોના બદલામાં દરજ્જા મળશે અને તમારો પાલનહાર તેઓના કાર્યોથી અજાણ નથી

Choose other languages: