Quran Apps in many lanuages:

Surah Muhammad Ayahs #10 Translated in Gujarati

وَيُدْخِلُهُمُ الْجَنَّةَ عَرَّفَهَا لَهُمْ
અને તેઓને તે જન્નતમાં લઇ જશે જેની તેઓને ઓળખ આપી દેવામાં આવી છે
يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا إِنْ تَنْصُرُوا اللَّهَ يَنْصُرْكُمْ وَيُثَبِّتْ أَقْدَامَكُمْ
હે ઇમાનવાળાઓ ! જો તમે અલ્લાહના (ધર્મ ની) મદદ કરશો તો તે તમારી મદદ કરશે અને તમારા ડગલાને (ધર્મ) પર જમાવી દેશે
وَالَّذِينَ كَفَرُوا فَتَعْسًا لَهُمْ وَأَضَلَّ أَعْمَالَهُمْ
અને જે લોકો ઇન્કારી થયા તેઓ નષ્ટ થાય, અલ્લાહ તેઓના કર્મો બેકાર કરી દેશે
ذَٰلِكَ بِأَنَّهُمْ كَرِهُوا مَا أَنْزَلَ اللَّهُ فَأَحْبَطَ أَعْمَالَهُمْ
આ એટલા માટે કે તેઓએ અલ્લાહની અવતરિત કરેલી વસ્તુ પસંદ ન કરી, બસ ! અલ્લાહ તઆલાએ (પણ) તેઓના કર્મો વેડફી નાખ્યા
أَفَلَمْ يَسِيرُوا فِي الْأَرْضِ فَيَنْظُرُوا كَيْفَ كَانَ عَاقِبَةُ الَّذِينَ مِنْ قَبْلِهِمْ ۚ دَمَّرَ اللَّهُ عَلَيْهِمْ ۖ وَلِلْكَافِرِينَ أَمْثَالُهَا
શું તે લોકોએ ધરતી પર હરી ફરી, તેને જોઇ નથી કે તેઓના અગાઉના લોકોની શું દશા થઇ ? અલ્લાહ તઆલાએ તેઓને નષ્ટ કરી દીધા અને ઇન્કારીઓ માટે આવી જ યાતનાઓ છે

Choose other languages: