Quran Apps in many lanuages:

Surah Al-Muddaththir Ayahs #31 Translated in Gujarati

وَمَا أَدْرَاكَ مَا سَقَرُ
અને તને શું ખબર કે જહન્નમ શું છે
لَا تُبْقِي وَلَا تَذَرُ
ન તે બાકી રાખે છે ન છોડે છે
لَوَّاحَةٌ لِلْبَشَرِ
ચામડીને બાળી નાખે છે
عَلَيْهَا تِسْعَةَ عَشَرَ
અને તેમાં ઓગણીસ (ફરિશ્તાઓ નક્કી) છે
وَمَا جَعَلْنَا أَصْحَابَ النَّارِ إِلَّا مَلَائِكَةً ۙ وَمَا جَعَلْنَا عِدَّتَهُمْ إِلَّا فِتْنَةً لِلَّذِينَ كَفَرُوا لِيَسْتَيْقِنَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَيَزْدَادَ الَّذِينَ آمَنُوا إِيمَانًا ۙ وَلَا يَرْتَابَ الَّذِينَ أُوتُوا الْكِتَابَ وَالْمُؤْمِنُونَ ۙ وَلِيَقُولَ الَّذِينَ فِي قُلُوبِهِمْ مَرَضٌ وَالْكَافِرُونَ مَاذَا أَرَادَ اللَّهُ بِهَٰذَا مَثَلًا ۚ كَذَٰلِكَ يُضِلُّ اللَّهُ مَنْ يَشَاءُ وَيَهْدِي مَنْ يَشَاءُ ۚ وَمَا يَعْلَمُ جُنُودَ رَبِّكَ إِلَّا هُوَ ۚ وَمَا هِيَ إِلَّا ذِكْرَىٰ لِلْبَشَرِ
અમે જહન્નમની દેખરેખ રાખનાર ફકત ફરિશ્તાઓ રાખ્યા છે અને અમે તેમની સંખ્યા ફકત ઇન્કારીઓને કસોટી માટે નક્કી કરી છે. જેથી કિતાબવાળા માની લે અને ઇમાનવાળાઓના ઇમાનમાં વધારો થાય અને કિતાબવાળા અને ઇમાનવાળા શંકા ન કરે અને જેના હૃદયોમાં બિમારી છે તે અને ઇન્કારી કહે કે આ બયાનથી અલ્લાહ તઆલા શું ઇચ્છે છે ? આવી જ રીતે અલ્લાહ તઆલા જેને ઇચ્છે છે તેને વિદ્રોહી બનાવી દે છે અને જેને ઇચ્છે છે સત્ય માર્ગ પર લાવી દે છે, તારા પાલનહારના લશ્કરને તેના સિવાય કોઇ નથી જાણતુ. આ ભરોસો આદમની સંતાનો માટે ખરેખર શિખામણ જ છે

Choose other languages: